April 10, 2026
ધર્મ દર્શન

19 કે 20 એપ્રિલ? ક્યારે ઊજવાશે પરશુરામ જયંતી? જાણો પૂજનનું શુભ મુહૂર્ત

10:48:00 AM
Save
Apr 10, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">19 કે 20 એપ્રિલ? </span>ક્યારે ઊજવાશે પરશુરામ જયંતી? જાણો પૂજનનું શુભ મુહૂર્ત</p>

દર વર્ષની જેમ આ વર્ષે પણ પરશુરામ જયંતીની તારીખને લઈને મૂંઝવણ જોવા મળી રહી છે. કેટલાક લોકો 19 એપ્રિલ અને કેટલાક 20 એપ્રિલની વાત કરી રહ્યા છે, કારણ કે આ જ દિવસે અક્ષય તૃતીયાનું પર્વ પણ આવે છે.

હિંદુ પંચાંગ અનુસાર, ભગવાન પરશુરામનો જન્મ વૈશાખ માસની શુક્લ પક્ષની તૃતીયા તિથિએ થયો હતો, જેને અક્ષય તૃતીયા તરીકે પણ ઓળખવામાં આવે છે પરંતુ, મહત્વની વાત એ છે કે ભગવાન પરશુરામનો જન્મ સંધ્યા કાળ (પ્રદોષ કાળ)માં થયો હતો.

પંચાંગ અનુસાર સાચી તારીખ:

- તૃતીયા તિથિની શરૂઆત: 19 એપ્રિલ, 2026, સવારે 10.49 વાગ્યે  
- તૃતીયા તિથિનું સમાપન: 20 એપ્રિલ, 2026, સવારે 7.27 વાગ્યે  

તેથી, પરશુરામ જયંતી 19 એપ્રિલ, 2026ના રોજ જ મનાવવામાં આવશે.

પરશુરામ જયંતી પૂજનનું શુભ મુહૂર્ત
19 એપ્રિલ, 2026 સાંજે 6.49 વાગ્યેથી રાત્રે 8.12 વાગ્યા સુધી. આ સમયગાળામાં પૂજા કરવી અત્યંત શુભ માનવામાં આવે છે.

ઘરે કેવી રીતે મનાવવી પરશુરામ જયંતી?
પરશુરામ જયંતી પર તમે ઘરે સરળ રીતે પૂજા કરી શકો છો:

1. એક ચોકી પર લાલ કપડું પાથરીને ભગવાન પરશુરામની તસવીર અથવા મૂર્તિ સ્થાપિત કરો.
2. ગંગાજળ અથવા સ્વચ્છ જળથી સ્થાનને પવિત્ર કરો.
3. ભગવાનને ચંદનનો તિલક લગાવો, અક્ષત અર્પણ કરો, ફૂલ અને માળા ચઢાવો.
4. દીપક પ્રગટાવીને આરતી કરો.
5. ફળ, મીઠાઈ અથવા નારિયેળનો ભોગ લગાવો.
6. અંતમાં મનોકામના પૂર્ણ કરવા માટે ભગવાન પાસે પ્રાર્થના કરો.

પૂજા પછી પ્રસાદ પરિવારજનો અને આસપાસના લોકોમાં વહેંચવો શુભ માનવામાં આવે છે.

પરશુરામ જયંતીથી મળતા લાભ
આ દિવસે ભગવાન પરશુરામની વિધિવત્ પૂજા કરવાથી વ્યક્તિમાં સાહસ, પરાક્રમ અને આત્મવિશ્વાસ વધે છે. મનમાં શાંતિ આવે છે અને જીવનમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. કઠિનથી કઠિન કાર્યો પૂરા કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે.