અમૃત સમાન છાશ પણ આ લોકો માટે છે નુકસાનકારક, સેવન કરતા પહેલાં વાંચી લો....

ભારતીય ભોજનની થાળીમાં છાશ વિના જાણે બધું અધૂરું લાગે છે. ખાસ કરીને ઉનાળાની કાળઝાળ ગરમીમાં છાશ માત્ર તરસ જ નથી છિપાવતી, પરંતુ શરીરને કુદરતી ઠંડક આપીને પાચનતંત્રને પણ વેગ આપે છે. આ જ કારણ છે કે તેને 'પૃથ્વી પરનું અમૃત' કહેવામાં આવે છે. પરંતુ, શું આ 'અમૃત' દરેક વ્યક્તિ માટે વરદાન છે? હેલ્થ એક્સપર્ટ્સના મતે, અમુક ખાસ સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવતા લોકો માટે છાશનું સેવન ફાયદાને બદલે ગંભીર નુકસાન કરી શકે છે. લેક્ટોઝ ઈનટોલરન્સથી લઈને કિડનીની સમસ્યા સુધી, ઘણી એવી સ્થિતિઓ છે જેમાં છાશ પીતા પહેલા સો વાર વિચારવો જરૂરી છે.
ચાલો જાણીએ કે છાશ પીતી વખતે કઈ સાવધાની રાખવી જોઈએ અને કયા લોકોએ તેનાથી દૂર રહેવું હિતાવહ છે. ભારતીય સંસ્કૃતિમાં છાશને 'પૃથ્વી પરનું અમૃત' માનવામાં આવે છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં તે શરીરને હાઈડ્રેટેડ રાખે છે, ઠંડક આપે છે અને પાચનતંત્રને મજબૂત બનાવે છે. પરંતુ આ ગુણો હોવા છતાં, તે દરેક વ્યક્તિ માટે સુરક્ષિત નથી.ડેરી ઉત્પાદનો પ્રત્યે સંવેદનશીલ લોકો માટે છાશ મુશ્કેલી ઊભી કરી શકે છે. લેક્ટોઝ ઈનટોલરન્સ ધરાવતા લોકોના શરીરમાં ડેરી પ્રોડક્ટ્સ પચાવવા માટે જરૂરી એન્ઝાઇમ્સ હોતા નથી, જેના કારણે છાશ પીધા પછી પેટમાં ગડબડ કે અસ્વસ્થતા અનુભવાય છે.
પાચન સંબંધી આડઅસર
જો કોઈને એલર્જી હોય અને તે છાશ પીવે, તો તેને પેટમાં ગેસ ભરાવો, પેટ ફૂલી જવું વારંવાર ડાયેરિયા જેવી સમસ્યાઓ થઈ શકે છે. આવા લોકોએ છાશના વિકલ્પ તરીકે અન્ય ઠંડા પીણાં પસંદ કરવા જોઈએ.
ઠંડી પ્રકૃતિ અને શરદી-ઉધરસ
છાશની તાસીર ઠંડી હોય છે, જે શરીરમાં કફના સ્તરમાં વધારો કરે છે. આથી, જેમને લાંબા સમયથી શરદી કે ગળાની એલર્જીની તકલીફ હોય, તેમણે છાશ પીવાથી અંતર જાળવવું જોઈએ અથવા ખૂબ જ મર્યાદિત માત્રામાં ઉપયોગ કરવો જોઈએ.
શ્વસનતંત્ર પર અસર
અસ્થમા કે શ્વાસની અન્ય તકલીફો ધરાવતા દર્દીઓ માટે છાશ જોખમી સાબિત થઈ શકે છે. ઠંડા પ્રવાહીના સેવનથી શ્વસન માર્ગમાં કફ જામી શકે છે, જે શ્વાસ લેવામાં તકલીફ વધારી શકે છે. આવા દર્દીઓએ ખાસ સાવધાની રાખવી જરૂરી છે.
કિડનીના સ્વાસ્થ્ય પર અસર
કિડનીની બીમારી હોય તેવા લોકો માટે છાશમાં રહેલા પોષક તત્વો ક્યારેક ફિલ્ટરેશન પ્રક્રિયામાં અવરોધ બની શકે છે. છાશમાં રહેલા કેટલાક ખનિજો કિડની પર વધારાનું ભારણ વધારે છે, તેથી ડૉક્ટરની સલાહ વિના તેનું સેવન ન કરવું જોઈએ.
એસિડિટી અને પેટના અલ્સર
જોકે છાશને એસિડિટી માટે અક્સીર ઈલાજ માનવામાં આવે છે, પરંતુ અલ્સરના દર્દીઓમાં તે ક્યારેક બળતરા વધારી શકે છે. દરેક વ્યક્તિની શારીરિક ક્ષમતા અલગ હોય છે, તેથી છાશ તમારા શરીરને માફક આવે છે કે નહીં તે ચકાસવું અનિવાર્ય છે.
સમય અને મસાલાનું મહત્વ
છાશ પીવા માટે બપોરનો સમય શ્રેષ્ઠ છે, જ્યારે રાત્રે તે પીવાનું ટાળવું જોઈએ. તેની ગુણવત્તા વધારવા માટે તેમાં શેકેલું જીરું, સંચળ, આદુ અને મીઠો લીમડો ઉમેરવાથી તે વધુ સુપાચ્ય બને છે અને તેનાથી થતા સંભવિત નુકસાનમાં ઘટાડો થાય છે.