April 9, 2026
ક્રાઈમ

ભુજ : જૈન સેવાભાવી સંસ્થાના સંચાલકની તેના જ ઘરમાં નિર્મમ હત્યા,  નિલેશ શાહ નામના શખ્સે કરી હત્યા...

11:57:00 AM
Save
Apr 9, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>ભુજ : </strong></span>જૈન સેવાભાવી સંસ્થાના સંચાલકની તેના જ ઘરમાં નિર્મમ હત્યા,  <strong>નિલેશ શાહ નામના શખ્સે કરી હત્યા...</strong></p>

કચ્છના પાટનગર ભુજમાં એક અત્યંત આઘાતજનક અને ચકચારી ઘટના સામે આવી છે, જેમાં જાણીતી જૈન સેવાભાવી સંસ્થાના સંચાલક રશ્મિકુમાર શાહની તેમના જ નિવાસસ્થાને કરપીણ હત્યા કરવામાં આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર જૈન સમાજ અને સ્થાનિક વિસ્તારમાં શોક સાથે ભયનો માહોલ ફેલાઈ ગયો છે. રશ્મિકુમાર શાહ જેઓ પોતાની સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતા હતા, તેમની અચાનક વિદાયથી અનેક પ્રશ્નો ઊભા થયા હતા, પરંતુ આ મામલે ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે હત્યારો પોતે જ પોલીસ સમક્ષ હાજર થયો હતો. તેવાં સમાચાર પ્રાપ્ત થયાં છે.

રાશનના પૈસાની ઉઘરાણી જીવલેણ સાબિત થઈ
હત્યા પાછળનું કારણ તપાસતા જાણવા મળ્યું છે કે આ કોઈ વ્યવસાયિક દુશ્મની નહીં પરંતુ નજીવી રકમના લેતી-દેતીનો મામલો હતો. નિલેશ શાહ નામના શખ્સે રશ્મિકુમાર શાહના ઘરે જઈને આ અપરાધને અંજામ આપ્યો હતો. પ્રાથમિક વિગતો મુજબ, રાશનના બાકી નીકળતા રૂપિયાના મુદ્દે આવેશમાં આવીને નિલેશ શાહે રશ્મિકુમાર પર હુમલો કરી તેમને મોતના ઘાટ ઉતારી દીધા હતા. એક નાનકડી રકમ માટે એક પ્રતિષ્ઠિત વ્યક્તિની હત્યા કરી દેવાતા માનવતા પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.

પુરાવા નાશ કરવાનો નિષ્ફળ પ્રયાસ
હત્યા કર્યા બાદ આરોપી નિલેશ શાહે અત્યંત સાવચેતીપૂર્વક ગુનાના પુરાવા મિટાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. તેણે રશ્મિકુમારના ઘરે લાગેલા સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ ધરાવતું ડીવીઆર (DVR) કાઢીને ફેંકી દીધું હતું, જેથી પોલીસને કોઈ વિઝ્યુઅલ પુરાવા ન મળી શકે. મળતી માહિતી મુજબ, જોકે, પાપનો ઘડો ભરાતા અને પોલીસના સકંજાથી બચવું મુશ્કેલ જણાતા, આરોપી પોતે જ પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો અને પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. 

પોલીસની તપાસ અને કાયદાકીય કાર્યવાહી

ભુજ પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની તપાસ તેજ બનાવી છે. એફએસએલ (FSL)ની ટીમ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લઈને જરૂરી નમૂનાઓ એકત્ર કર્યા છે. હાલ પોલીસ એ તપાસ કરી રહી છે કે ફેંકી દેવાયેલું ડીવીઆર ક્યાં છે, જેથી ઘટના સમયના ફૂટેજ મેળવી શકાય. આ ઉપરાંત, શું આ હત્યા પાછળ માત્ર રાશનના પૈસા જ કારણભૂત છે કે અન્ય કોઈ જૂની અદાવત, તે દિશામાં પણ ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી રહી છે. જૈન અગ્રણીની હત્યાને પગલે શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી ગતિમાં છે.