April 2, 2026
ગુજરાત

જામનગરના ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટમાં વિવાદ : ગૌશાળાના નામે કૌભાંડ ?

07:19:00 PM
Save
Mar 29, 2026
Share :
<p><strong>જામનગરના ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટમાં વિવાદ : <span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">ગૌશાળાના નામે કૌભાંડ ?</span></strong></p>

કોઈપણ શૈક્ષણિક કે સામાજિક સંસ્થા જ્યારે આંતરિક વિખવાદનો ભોગ બને છે ત્યારે તેની પ્રતિષ્ઠા ખરડાતી હોય છે. ખાસ કરીને જ્યારે જીવદયા અને ગૌસેવા જેવા સંવેદનશીલ વિષયો પર ભ્રષ્ટાચાર કે બેદરકારીના આક્ષેપો થાય, ત્યારે તે વિવાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે. જામનગરના એક જાણીતા ટ્રસ્ટમાં હાલ આવી જ સ્થિતિ નિર્માણ પામી છે.

વાયરલ વીડિયોએ ખોલી પોલ

જામનગરના ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટમાં લાંબા સમયથી ચાલી રહેલો આંતરિક ડખ્ખો હવે સપાટી પર આવ્યો છે. સોશિયલ મીડિયા પર એક કંપારી છૂટી જાય તેવો વીડિયો વાયરલ થયો છે, જેમાં શ્વાન વાછરડાના અવશેષો આરોગતા જોવા મળી રહ્યા છે. આ ઘટના બાદ ગૌશાળામાં ગાયોની અત્યંત દયનીય સ્થિતિ અને ગંભીર બેદરકારીના મુદ્દાઓ પર સવાલો ઉભા થયા છે.

ટ્રસ્ટીઓ સામસામે: ગંભીર આક્ષેપોની ઝડી

ટ્રસ્ટના મહિલા ટ્રસ્ટી જિજ્ઞા હરિયાએ મુખ્ય ટ્રસ્ટી રમણિક શાહ પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા મુજબ, રમણિક શાહે ઓશવાળ ટ્રસ્ટમાં જોડાયા બાદ અલગથી 'ચાંપા બેરાજા મિત્ર મંડળ ટ્રસ્ટ' શરૂ કર્યું હતું. મુખ્ય ટ્રસ્ટના નિયમોમાં ગૌશાળાનો કોઈ ઉલ્લેખ ન હોવા છતાં, ગેરકાયદેસર રીતે પાંજરાપોળ અને ગૌશાળા શરૂ કરવામાં આવી છે. ગૌશાળામાં ગાયો માટે પૂરતા શેડ કે ખોરાકની વ્યવસ્થા નથી, જેના કારણે ગાયોની દુર્દશા થઈ રહી છે. આ વિવાદને પગલે જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.