April 7, 2026
બોલિવૂડ

રામાયણના મેકર્સને દારા સિંહના પુત્રની ચેતવણી: "લોકો ફિલ્મ રિજેક્ટ કરી દેશે", રામાનંદ સાગરની રામાયણને ન મેચ કરે તો મુશ્કેલી

11:38:00 AM
Save
Apr 3, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">રામાયણના મેકર્સને દારા સિંહના પુત્રની ચેતવણી:</span> "લોકો ફિલ્મ રિજેક્ટ કરી દેશે", રામાનંદ સાગરની રામાયણને ન મેચ કરે તો મુશ્કેલી</p>

નિતેશ તિવારી દ્વારા નિર્દેશિત મેગા બજેટ ફિલ્મ રામાયણનું ટીઝર રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર તેની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. ટીઝરને મિક્સ્ડ રિએક્શન મળ્યા છે. આ દરમિયાન વેટરન એક્ટર વિંદુ દારા સિંહે ટીઝર પર પોતાની પ્રતિક્રિયા આપી છે. વિંદુ દારા સિંહ એવા અભિનેતા છે જેઓએ પોતે પણ માયથોલોજિકલ શોમાં હનુમાનની ભૂમિકા ભજવી છે. તેમના પિતા દારા સિંહે રામાનંદ સાગરની પ્રસિદ્ધ રામાયણમાં હનુમાનનું પાત્ર નિભાવ્યું હતું.

મીડિયા સાથે વાતચીતમાં વિંદુએ રણબીર કપૂરની રામાયણના ટીઝરને ધમાકેદાર અને ખૂબસૂરત ગણાવ્યું છે. તેમણે તેના વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અને ગ્રાફિક્સની પણ પ્રશંસા કરી છે. પરંતુ સાથે જ નિતેશ તિવારી અને ટીમને સખત ચેતવણી પણ આપી છે.

વિંદુની મોટી ચેતવણી
વિંદુએ કહ્યું, "રામાનંદ સાગરની રામાયણ આપણા દરેકના હૃદય અને દિમાગમાં પૂરેપૂરી ફિટ થઈ ગઈ છે. તે ઐતિહાસિક અને નંબર-1 છે. જો આ નવી ફિલ્મ તેની સાથે મેચ કરશે તો તે સુપરહિટ બનશે, રેકોર્ડ તોડી નાખશે પરંતુ, જો ફિલ્મમાં વધુ પડતી આઝાદી લેવામાં આવશે અને મૂળ રામાયણમાંથી ઘણું બદલવાનો પ્રયાસ કરવામાં આવશે, તો લોકો તેને રિજેક્ટ કરી દેશે."

તેમણે વધુમાં જણાવ્યું કે, "જો અસુરોને વધુ ખતરનાક બતાવવા અથવા અન્ય કોઈ પાત્રોમાં વધારે ફેરફાર કરવામાં આવશે તો દર્શકો તેને સ્વીકારશે નહીં. રામાનંદ સાગરની રામાયણને ફોલો ન કરવાથી મેકર્સને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે."

રણબીરના રામ લુક પર પ્રતિક્રિયા
વિંદુએ રણબીર કપૂરના રામ અવતારના લુકની પ્રશંસા કરતાં કહ્યું, "તેઓ રામના અવતારમાં ખૂબસૂરત દેખાઈ રહ્યા છે." તેમણે યાદ કરાવ્યું કે આજે પણ રામનું નામ લેતાં જ અરુણ ગોવિલની છબી લોકોના મનમાં આવે છે અને હનુમાનનું નામ લેતાં દારા સિંહની. પરંતુ હવે તેઓ તે જ રોલ નથી કરી શકતા. અરુણ ગોવિલ હવે દશરથના રોલમાં સારી રીતે ફિટ બેસે છે અને તેમની એક્ટિંગ ક્લાસ છે.

આદિપુરુષ સાથે સરખામણી
વિંદુએ નિતેશ તિવારીના વિઝનની પ્રશંસા કરતાં કહ્યું કે, "આ વિઝન પ્રભાસની ફ્લોપ ફિલ્મ આદિપુરુષ કરતાં કેટલાય ગણા વધુ સારું છે." નિતેશ તિવારીની રામાયણ ફિલ્મમાં રણબીર કપૂર રામ, સાઈ પલ્લવી સીતા, યશ રાવણ અને સની દેઓલ હનુમાનની ભૂમિકામાં છે. ફિલ્મના વિઝ્યુઅલ્સ અને સ્પેશિયલ ઇફેક્ટ્સને લઈને ઘણી પ્રશંસા થઈ રહી છે, પરંતુ ક્લાસિક રામાયણ સાથે તેની તુલના અને વફાદારીને લઈને ચર્ચા પણ જોર પકડી રહી છે.