April 2, 2026
ભારત

એવિએશન ક્ષેત્રે યુવાનોને સઘન તાલીમ આપવા DGCA અને ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય વચ્ચે MoU

12:28:00 PM
Save
Mar 31, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">એવિએશન ક્ષેત્રે યુવાનોને સઘન તાલીમ આપવા </span>DGCA અને ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય વચ્ચે MoU</strong></p>

ભારતના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં યુવાનો માટે રોજગારી અને તાલીમની નવી તકો ઊભી કરવાના હેતુથી ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન અને ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય વચ્ચે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરાર હેઠળ દેશના યુવાનોને એવિએશન એન્જિનિયરિંગ અને એવિએશન મેનેજમેન્ટ જેવા વ્યાપક ક્ષેત્રોમાં આધુનિક તાલીમ પૂરી પાડવામાં આવશે.

કેન્દ્રીય મંત્રીઓની ઉપસ્થિતિમાં કરાર પર હસ્તાક્ષર 

નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા પ્રાપ્ત સત્તાવાર માહિતી અનુસાર, આ મહત્વના કરાર પર DGCA ના ફૈઝ અહેમદ કિદવઈ અને GSV ના વાઇસ ચાન્સેલર પ્રોફેસર મનોજ ચૌધરીએ હસ્તાક્ષર કર્યા હતા. આ હસ્તાક્ષર સમારોહમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુ, રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ તેમજ DGCA, રેલ્વે અને GSV ના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

MoU થી એવિએશન સેક્ટરમાં આવશે ક્રાંતિકારી બદલાવ: ઉડ્ડયન મંત્રી 

આ પ્રસંગે સંબોધન કરતા નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ જણાવ્યું હતું કે, ભવિષ્યના કાર્યબળને તૈયાર કરવાના સરકારના પ્રયાસોમાં આ MoU સમગ્ર ઉડ્ડયન ક્ષેત્રની દિશા બદલી નાખશે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરતા કહ્યું કે, છેલ્લા 12 વર્ષમાં દેશે આ ક્ષેત્રે જબરદસ્ત સફળતા મેળવી છે. મંત્રીએ દેશમાં એવિએશન મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ વિકસાવવા પર ભાર મૂકતા ઉમેર્યું કે, છેલ્લા 5 વર્ષમાં જાળવણી, સમારકામ અને ઓવરહોલ યુનિટ્સની સંખ્યા આશરે 160 થી વધીને 240 થી વધુ થઈ ગઈ છે.

GSV ના 62 ઉદ્યોગ ભાગીદારો સાથે સહયોગ: અશ્વિની વૈષ્ણવ 

સમારોહના સમાપન ભાષણમાં રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયે ટૂંકા સમયમાં વિશ્વભરમાં પોતાની આગવી પ્રતિષ્ઠા ઉભી કરી છે. ઉદ્યોગો માટે તૈયાર અને કુશળ વ્યાવસાયિકો ઉત્પન્ન કરવા માટે સંસ્થાએ અત્યાર સુધીમાં 62 જેટલા ઉદ્યોગ ભાગીદારો સાથે સહયોગ કર્યો છે. તેમણે 'વિકસિત ભારત' ની પહેલને વધુ મજબૂત સમર્થન આપવા માટે GSV ખાતે 'ચોકસાઇ ઉત્પાદન એન્જિનિયરિંગ' માટે સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપિત કરવાનું આહ્વાન પણ કર્યું હતું.