April 2, 2026
ભારત

પત્નીના પીયરમાંથી મળેલી સંપત્તિ પર પતિનો અધિકાર છે કે નહીં? આંધ્ર પ્રદેશ હાઈકોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો

01:55:00 PM
Save
Mar 31, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">પત્નીના પીયરમાંથી મળેલી સંપત્તિ પર પતિનો અધિકાર છે કે નહીં?</span> આંધ્ર પ્રદેશ હાઈકોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો</p>

આંધ્ર પ્રદેશ હાઈકોર્ટે એક મહત્વનો ચુકાદો આપતાં કહ્યું છે કે, જો કોઈ હિંદુ મહિલાને તેના માતા-પિતા તરફથી વારસામાં સંપત્તિ મળી હોય અને તે વિલ વગર મૃત્યુ પામે તો તે સંપત્તિ તેના પિતાના વારસદારોને જ મળશે. આ સંપત્તિ પર તેના પતિ કે સસરાના પરિવારને કોઈ કાનૂની અધિકાર નહીં હોય.

હિંદુ સક્સેશન એક્ટની કલમ 15(2)(a)ના આધારે ન્યાયમૂર્તિ તરલાદા રાજશેખર રાવે કહ્યું, “જો કોઈ હિંદુ મહિલાને તેના પિતા અથવા માતા તરફથી સંપત્તિ વારસામાં મળી હોય અને તેના કોઈ સંતાન ન હોય તો તે મૃત મહિલાની સંપત્તિ તેના પિતાના કાનૂની વારસદારોને જ મળશે. આ સંપત્તિ પર તેના પતિને કોઈ અધિકાર નથી.”

કેસની વિગતો
આ ચુકાદો એક વિશેષ કેસમાં આપવામાં આવ્યો હતો. એક મહિલાએ વર્ષ 2002માં તેની પ્રથમ પૌત્રીને સંપત્તિનો એક ભાગ ભેટમાં આપ્યો હતો. તેના નામે રેવેન્યુ રેકોર્ડમાં નામ પણ નોંધાવવામાં આવ્યું હતું પરંતુ, વર્ષ 2005માં પ્રથમ પૌત્રીનું સંતાન વગર મૃત્યુ થતાં તેની દાદીએ ‘રદ્દીકરણ વિલેખ’ દ્વારા ભેટને રદ્દ કરી અને તે જ સંપત્તિ પોતાની બીજી પૌત્રી (યાચિકા)ના નામે વસિયત કરી દીધી. 

જ્યારે યાચિકાની દાદીનું 2012માં અવસાન થયું ત્યારે બીજી પૌત્રીએ રેવેન્યુ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવવાની માંગ કરી પરંતુ, મૃત પૌત્રીના પતિએ આનો વિરોધ કર્યો. છેલ્લે આંધ્ર પ્રદેશ હાઈકોર્ટે યાચિકાર્થી (બીજી પૌત્રી)ની તરફેણમાં ચુકાદો આપ્યો અને સ્પષ્ટ કર્યું કે, મૃત પૌત્રીના પતિને આ સંપત્તિ પર કોઈ અધિકાર નથી.

કોર્ટનું મહત્વનું વક્તવ્ય
કોર્ટે કહ્યું કે, હિંદુ સક્સેશન એક્ટની કલમ 15(2)(a) સ્પષ્ટ છે. માતા-પિતા તરફથી મળેલી સંપત્તિ પર પતિ કે સસરાના પરિવારનો કોઈ હક નથી, જો મહિલાના કોઈ સંતાન ન હોય.