ઘરની આ દિશામાં ન રાખો ડસ્ટબિન, નહીંતર કંગાલ થઈ જશો
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં દરેક વસ્તુની એક સાચી જગ્યા હોવી અત્યંત જરૂરી છે, જેથી ઘરમાં સકારાત્મક ઊર્જા જળવાઈ રહે. કચરાપેટી ભલે નાની વસ્તુ લાગે, પરંતુ વાસ્તુમાં તેને નકારાત્મક ઊર્જાનો સ્રોત માનવામાં આવે છે. જો તેને ખોટી દિશા કે જગ્યાએ મૂકવામાં આવે તો ઘરમાં તણાવ વધી શકે છે, પૈસાની તંગી આવી શકે છે અને રિલેશન્સમાં પણ ખટાશ આવી શકે છે.
તેથી જાણવું જરૂરી છે કે કચરાપેટી ક્યાં ન રાખવી જોઈએ અને તેને રાખવાની સાચી જગ્યા કઈ છે.
આ જગ્યાઓ પર ન રાખો કચરાપેટી
ઉત્તર-પૂર્વ (ઈશાન કોણ)
આ અત્યંત પવિત્ર દિશા માનવામાં આવે છે. અહીં કચરાપેટી રાખવાથી માનસિક તણાવ અને આર્થિક નુકસાન થઈ શકે છે.
પૂર્વ દિશા
અહીં કચરાપેટી રાખવાથી વ્યક્તિને એકલતા અનુભવાઈ શકે છે અને રિલેશન્સ નબળા પડી શકે છે.
દક્ષિણ-પૂર્વ (આગ્નેય કોણ)
આ રસોડાની દિશા છે. અહીં કચરાપેટી રાખવાથી ખર્ચ વધી શકે છે.
ઉત્તર દિશા
આ દિશા ધન સાથે જોડાયેલી માનવામાં આવે છે. અહીં કચરાપેટી રાખવાથી કરિયર અને બિઝનેસમાં અવરોધ આવી શકે છે.
દક્ષિણ-પશ્ચિમ દિશા
અહીં કચરાપેટી રાખવાથી ઘરમાં ઝઘડા અને વિવાદ વધી શકે છે.
પશ્ચિમ દિશા
આ દિશામાં કચરાપેટી રાખવાથી કામોમાં અવરોધ આવી શકે છે.
મુખ્ય દરવાજો (મેઈન ગેટ)
દરવાજાની નજીક કે સામે કચરાપેટી રાખવાથી નકારાત્મક ઊર્જા ઘરમાં પ્રવેશે છે.
બેડરૂમ, પૂજા ઘર અને રસોઈ
આ જગ્યાઓ પર કચરાપેટી રાખવાથી માનસિક તણાવ વધે છે અને વાસ્તુ દોષ થાય છે.
કચરાપેટી રાખવાની સાચી જગ્યા
વાસ્તુ અનુસાર કચરાપેટીને ઘરના દક્ષિણ અથવા દક્ષિણ-પશ્ચિમના બાહ્ય ભાગમાં (જેમ કે બાલ્કની કે સર્વિસ એરિયા)માં રાખવી જોઈએ અથવા એવા ખૂણામાં રાખવી જ્યાં તે સીધી દેખાતી ન હોય.
કેટલીક સરળ ટિપ્સ
- કચરાપેટી હંમેશા ઢાંકણવાળી જ રાખો.
- રોજ કચરો બહાર કાઢી નાખો.
- તેને ક્યારેય ઓવરફ્લો થવા ન દો.
- સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખો.