ઘરે ઢોસા બનાવતી વખતે ન કરો આ 5 મોટી ભૂલો, સ્વાદ સાથે સ્વાસ્થ્ય પર પણ પડી શકે છે ભારે અસર
ઘરે હળવું અને હેલ્ધી સ્નેક્સ બનાવવાની વાત આવે ત્યારે દક્ષિણ ભારતીય વાનગી ઢોસા મોટાભાગના લોકોની પ્રથમ પસંદ બને છે. ક્રિસ્પી, પાતળો અને ગરમાગરમ ઢોસાના અલગ-अલગ પ્રકાર માર્કેટમાં મળે છે, પરંતુ અનેક લોકો ઘરે જ ડોસા બનાવવાનું પસંદ કરે છે.
પરંતુ શું તમે જાણો છો કે ઢોસા બનાવવો એ માત્ર રસોઈની કળા નથી, પરંતુ એક વિજ્ઞાન છે? આ અંગે IIT મદ્રાસના પ્રોફેસર મહેશ પંચગ્નુલાએ પણ એક ઇન્ટરવ્યુમાં મહત્વની વાતો કહી હતી.
ઘણા લોકો ઢોસાના સ્વાદના ચક્કરમાં એવી ભૂલો કરે છે જે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. ચાલો જાણીએ ઢોસાના બેટર, તવા અને તેલ સંબંધિત 5 મોટી ભૂલો જે તમારે ક્યારેય ન કરવી જોઈએ.
ફર્મેન્ટેશન (ખમીર)નો સમય અને તાપમાન
ઢોસાનું બેટર તૈયાર કરતી વખતે દાળ અને ચોખાને પીસીને ખમીર ઉઠાવવું પડે છે. આ પ્રક્રિયામાં જ મોટાભાગના લોકો ભૂલ કરે છે.
બેટરને ખૂબ ગરમ જગ્યાએ અથવા લાંબા સમય સુધી બહાર છોડી દેવાથી તેમાં હાનિકારક બેક્ટેરિયા વધી જાય છે અને ખટાશ અથવા દુર્ગંધ આવવા લાગે છે. ઉનાળામાં ખમીર 6-8 કલાકમાં ઉઠે છે, જ્યારે શિયાળામાં 12-14 કલાક લાગી શકે છે. આદર્શ તાપમાન 25°C થી 30°C છે.
આલુની સ્ટફિંગની ક્વોલિટી
મસાલા ઢોસામાં આલુની સ્ટફિંગ વપરાય છે, પરંતુ અનેક લોકો આલુની ગુણવત્તા તરફ ધ્યાન આપતા નથી. જો આલુમાં અંકુર (સ્પ્રાઉટ્સ) નીકળી ગયા હોય અથવા તે હરિયાળા દેખાતા હોય તો તેનો ઉપયોગ ન કરવો. હરિયાળા આલુમાં સોલેનિન નામનું ઝેરી તત્વ હોય છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ઉકાળેલા આલુને લાંબા સમય સુધી રૂમ ટેમ્પરેચર પર ન છોડવા, કારણ કે તે ઝડપથી ખરાબ થઈ જાય છે અને ફૂડ પોઈઝનિંગનું કારણ બની શકે છે.
વાસી અને મિલાવટવાળી સામગ્રીનો ઉપયોગ
ઢોસા માટે ચોખા અને દાળ લેતી વખતે જુઓ કે તે ખૂબ જૂની તો નથી ને? જૂની દાળ-ચોખામાં ઘુણ અથવા ફૂગ લાગી શકે છે. રેડીમેડ બેટરમાં પ્રિઝર્વેટિવ્સનું પ્રમાણ વધુ હોય છે. તેથી હંમેશા તાજી સામગ્રીનો જ ઉપયોગ કરો. જો બેટરમાંથી ખટ્ટી કે સડેલી ગંધ આવે તો તેને તરત જ ફેંકી દો.
નોનસ્ટિક તવાની કોટિંગ તપાસો
જો તમે નોનસ્ટિક તવો વાપરો છો તો તેની ટેફ્લોન કોટિંગ તપાસી લો. જો કોટિંગ ઉખડી ગઈ હોય તો ગરમ થતાં તેમાંથી કેમિકલ ઢોસામાં મિક્સ થઈ શકે છે, જે સ્વાસ્થ્ય માટે ખતરનાક છે. શક્ય હોય તો લોખંડનો તવો અથવા સારી કોટિંગવાળો નોનસ્ટિક તવો જ વાપરો.
પાણી અને તેલની શુદ્ધતા
ઢોસાના બેટરમાં વપરાતું પાણી અને તવા પર લગાવવાનું તેલ પણ પેટના સ્વાસ્થ્યને અસર કરી શકે છે. હંમેશા સ્વચ્છ પાણી વાપરો. તવા પર લગાવવાનું તેલ બચેલું કે વારંવાર ગરમ કરેલું ન હોવું જોઈએ. વારંવાર ગરમ કરેલું તેલ કોલેસ્ટ્રોલ અને પેટની સમસ્યાઓ વધારે છે.
આ ૫ ભૂલો ટાળીને જ ઢોસા બનાવો, જેથી તેનો સ્વાદ પણ સરસ રહે અને સ્વાસ્થ્ય પણ સુરક્ષિત રહે.