April 1, 2026
જય કિસાન

ગાંધીનગર : હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ખેતી બેંક દ્વારા અકસ્માત વીમાના ચેક અને નિમણૂક પત્રોનું વિતરણ; આ ખેડૂતોને મળશે ₹11 લાખનું સુરક્ષા કવચ

11:13:00 AM
Save
Apr 1, 2026
Share :
<p>ગાંધીનગર : <span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ખેતી બેંક દ્વારા અકસ્માત વીમાના ચેક અને નિમણૂક પત્રોનું વિતરણ;</strong></span> આ ખેડૂતોને મળશે ₹11 લાખનું સુરક્ષા કવચ</p>

ગુજરાતના પનોતા પુત્ર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ શાસનના 11 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના અવસરે ગાંધીનગર ખાતે એક ગરિમાપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આયોજિત આ કાર્યક્રમમાં ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લિ. (ખેતી બેંક) દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વ અને ખેડૂત લક્ષી સંવેદનાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. નાયબ મુખ્યમંત્રીએ આ તકે ખેતી બેંક સાથે જોડાયેલા અને અકસ્માતમાં જીવ ગુમાવનાર ખેડૂતોના વારસદારોને વીમા સહાયના ચેક અર્પણ કર્યા હતા. રાજ્ય સરકારની ખેડૂતલક્ષી નીતિઓને વેગ આપતા આ કાર્યક્રમમાં સંઘવીએ જણાવ્યું હતું કે, ખેતી બેંક માત્ર નાણાકીય વ્યવહારનું કેન્દ્ર નથી, પરંતુ તે ખેડૂત પરિવારોના સુખ-દુઃખની ભાગીદાર બનીને ઉભી છે.

ખેતી બેંક દ્વારા અમલી બનાવવામાં આવેલી આ વિશેષ યોજના અંતર્ગત દરેક લોન લેનાર ખેડૂત પરિવારને રક્ષણ આપવા માટે રૂ. 11 લાખ સુધીના અકસ્માત વીમાનું કવચ પૂરું પાડવામાં આવે છે. સૌથી નોંધપાત્ર બાબત એ છે કે, આ વીમા માટેનું તમામ પ્રીમિયમ બેંક પોતે ભરે છે, જેથી ખેડૂતો પર આર્થિક બોજ પડતો નથી. આ કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ સ્વ. હેમંતજી પરમારના વારસદારને રૂ.  11 લાખ તેમજ સ્વ. હિતેશકુમાર પટેલ અને સ્વ. ભાણાભાઈ બારૈયાના વારસદારોને રૂ. 5-5 લાખના ચેક એનાયત કર્યા હતા. શોકગ્રસ્ત પરિવારો સાથે વાતચીત કરતા તેમણે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી અને આશા જગાડી હતી કે મુશ્કેલીના સમયે મળેલી આ આર્થિક સહાય તેમના પરિવારના ઉજ્જવળ ભવિષ્ય માટે પાયાની ઈંટ સાબિત થશે.

આ કાર્યક્રમમાં માત્ર ખેડૂત કલ્યાણ જ નહીં, પરંતુ માનવીય અભિગમનું પણ ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રીના હસ્તે બેંકના પાંચ દિવ્યાંગ કર્મચારીઓને, જેમણે પોતાનો પ્રોબેશન પિરિયડ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો, તેમને કાયમી નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. માંગરોળ, જૂનાગઢ, કુતિયાણા, જેતપુર અને મોરબી શાખામાં ફરજ બજાવતા આ કર્મચારીઓને પ્રોત્સાહિત કરતા સંઘવીએ તેમના સમર્પણની પ્રશંસા કરી હતી અને તેમને નિષ્ઠાપૂર્વક આગળ વધવા માટે પ્રેરણા આપી હતી. બેંકના ચેરમેન ડોલર કોટેચાએ નાયબ મુખ્યમંત્રીનો આભાર માનતા બેંકની ખેડૂત અને કર્મચારી કલ્યાણ પ્રત્યેની કટિબદ્ધતાને પુનરોચ્ચાર કર્યો હતો, જેનાથી સમગ્ર સહકારી ક્ષેત્રમાં એક હકારાત્મક સંદેશ વહેતો થયો છે.