ઈરાન-અમેરિકા યુદ્ધ તરત બંધ કરાવવા મદદ કરો, ઉમર અબ્દુલ્લાએ પીએમ મોદીને કરી અપીલ
જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી છે કે, તે ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને જલદી અને સંપૂર્ણપણે બંધ કરાવવા માટે પોતાના તમામ કૂટનીતિક પ્રભાવનો ઉપયોગ કરે.
જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં શુક્રવારે નેતા સદન તરીકે ઉમર અબ્દુલ્લાએ કહ્યું, “અમે અને અમારા સહયોગીઓ તરફથી હું ઈરાન પર થોપેલા આ અન્યાયપૂર્ણ અને અવૈધ યુદ્ધની સખત નિંદા કરું છું. હું અયાતુલ્લા અલી ખામેનેઈ અને ઈરાનના અન્ય નેતાઓ તેમજ યુદ્ધમાં માર્યા ગયેલા તમામ લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરું છું.”
આનાથી માત્ર અમને જ નહીં, સમગ્ર માનવતાને લાભ થશે
તેમણે વધુમાં કહ્યું, “હું અમારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિનમ્ર અપીલ કરું છું કે તેઓ ઉપલબ્ધ તમામ કૂટનીતિક ચેનલો અને સંબંધોનો ઉપયોગ કરીને આ યુદ્ધને જલદી સમાપ્ત કરવામાં મદદ કરે. આનાથી માત્ર અમને જ નહીં, પરંતુ સમગ્ર માનવતાને લાભ થશે.”
વિધાનસભામાં હંગામો અને વિરોધ
શુક્રવારે જમ્મુ-કાશ્મીર વિધાનસભાના બજેટ સત્રના બીજા તબક્કાના પ્રથમ દિવસે ઈરાન મુદ્દે ભારે હંગામો થયો હતો. નેશનલ કોન્ફરન્સ, કોંગ્રેસ, સીપીએમ, પીડીપી અને નિર્દળીય વિધાયકોએ ઈરાનના સમર્થનમાં નારેબાજી કરી હતી. ભાજપ વિધાયકોએ વિરોધ કરતાં કહ્યું હતું કે આ આંતરરાષ્ટ્રીય મુદ્દો છે અને તે વિધાનસભાના અધિકાર ક્ષેત્રમાં આવતો નથી.
વિધાનસભા અધ્યક્ષ અબ્દુલ રહીમ રાઠરે હંગામાને કારણે અડધા કલાક માટે સદનની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી. ત્યારબાદ નેશનલ કોન્ફરન્સના વિધાયક તનવીર સાદિકની માંગ પર ઉમર અબ્દુલ્લાએ આ નિવેદન આપ્યું હતું.
કાશ્મીરમાં ઈરાનના પ્રબળ સમર્થન
પશ્ચિમ એશિયામાં સંકટ શરૂ થયા પછી ઈરાનના સમર્થનમાં સૌથી વધુ પ્રદર્શન જમ્મુ-કાશ્મીરમાં જ થઈ રહ્યા છે. કાશ્મીરીઓએ ઈરાન માટે રોકડા અને સોનાનું દાન પણ મોકલ્યું છે. ઈરાને આ માનવતાપૂર્ણ સહાય માટે આભાર વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે આ દયાની ભાવનાને ક્યારેય નહીં ભૂલે.