March 31, 2026
ગુજરાત

અમદાવાદની ESIC હોસ્પિટલમાં ભોજનમાં જીવાત: દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા ભારે હોબાળો

07:05:00 PM
Save
Mar 31, 2026
Share :
<p><strong>અમદાવાદની ESIC હોસ્પિટલમાં ભોજનમાં જીવાત: <span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા ભારે હોબાળો</span></strong></p>

હોસ્પિટલ એ એવું સ્થળ છે જ્યાં દર્દીઓ સાજા થવાની આશા સાથે આવતા હોય છે, પરંતુ જ્યારે ત્યાંની પ્રાથમિક સુવિધાઓ અને ભોજનમાં જ ગંભીર બેદરકારી જોવા મળે ત્યારે તંત્ર સામે અનેક સવાલો ઉભા થાય છે. ખાસ કરીને સરકારી અને અર્ધ-સરકારી સંસ્થાઓમાં સત્તાધિશોની રહેમનજર હેઠળ ચાલતા કોન્ટ્રાક્ટરો ઘણીવાર નફાખોરીમાં દર્દીઓના સ્વાસ્થ્યને જોખમમાં મૂકે છે.

બાપુનગર ESIC હોસ્પિટલના મહિલા વોર્ડમાં પીરસાયેલી ખીચડીમાં જીવાત નીકળી

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલી ESIC સંચાલિત 320 બેડની જનરલ હોસ્પિટલમાં પ્રશાસનની ઘોર બેદરકારી સામે આવી છે. મહિલા મેડિકલ વિભાગમાં દાખલ દર્દીઓને રાત્રિના ભોજનમાં પીરસવામાં આવેલી ખીચડીમાં જીવાત મળી આવતા હોસ્પિટલ કેમ્પસમાં અફરાતફરી અને આક્રોશનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની વિગતો અને દર્દીઓની હાલાકી

મહિલા વોર્ડમાં અંદાજે 42 જેટલી મહિલા દર્દીઓ સારવાર હેઠળ છે. સાંજે જ્યારે ભોજન પીરસવામાં આવ્યું ત્યારે બાબુભાઈ પરમાર, વિજયાબેન દવે અને અશોકભાઈ જાદવ જેવા દર્દીઓના થાળીમાં જીવાત જોવા મળી હતી. ખીચડીમાં જીવાત હોવાની જાણ થતા જ દર્દીઓએ જમવાનું બંધ કરી દીધું હતું અને ભોજન પરત કરી દીધું હતું. ગોમતીપુરના દર્દીઓએ આ અંગે સિનિયર કોર્પોરેટર ઈકબાલ શેખને જાણ કરી હતી, જેઓ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા અને CMO તથા નાઈટ સુપરિન્ટેન્ડન્ટ સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી.

વહીવટી તંત્રના મળતિયાઓ સામે આક્ષેપ

આ હોસ્પિટલમાં કિચન અને ભોજનની જવાબદારી કૈલાશ મીણા પાસે હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક સ્તરે એવા આક્ષેપો ઉઠ્યા છે કે તેઓ એક સિનિયર અધિકારીના સગા હોવાથી તેમની સામે વારંવારની ફરિયાદો છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. કોન્ટ્રાક્ટર દ્વારા સપ્લાય કરવામાં આવતી નબળી ગુણવત્તાની ખાદ્ય સામગ્રીને કારણે દર્દીઓના જીવ જોખમમાં મુકાયા છે.

ફરીથી ભોજન તૈયાર કરાયું અને ઉચ્ચ સ્તરે ફરિયાદ

મામલો વધુ બિચકતા હોસ્પિટલ તંત્ર હરકતમાં આવ્યું હતું અને રાત્રે અંદાજે 11 વાગ્યે ફરીથી નવું અને સ્વચ્છ જમવાનું તૈયાર કરીને દર્દીઓને પીરસવામાં આવ્યું હતું. આ ઘટનાની ગંભીરતાને જોતા ઈકબાલ શેખ દ્વારા કેન્દ્રીય લેબર મંત્રી મનસુખ માંડવીયા અને અન્ય સંબંધિત વિભાગોને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે અને જવાબદારો સામે કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે.