April 1, 2026
ગુજરાત

ગીર સોમનાથમાં કુદરતનો પ્રકોપ: માવઠાને કારણે સાંગાવાડી નદી બેકાંઠે વહી !

04:25:00 PM
Save
Mar 20, 2026
Share :
<p><strong>ગીર સોમનાથમાં કુદરતનો પ્રકોપ: <span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">માવઠાને કારણે સાંગાવાડી નદી બેકાંઠે વહી !</span></strong></p>

ગુજરાતમાં હાલ 'માવઠાનો માર' ખેડૂતો માટે પડતા પર પાટું સમાન સાબિત થઈ રહ્યો છે. સામાન્ય રીતે ઉનાળામાં નદીઓ સુકાતી હોય છે, પરંતુ બદલાયેલા હવામાનને કારણે ગીર સોમનાથના પંથકમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. કમોસમી વરસાદને કારણે જગતનો તાત ફરી એકવાર લાચાર બન્યો છે. તૈયાર પાક જ્યારે લણણીના આરે હોય ત્યારે જ કુદરતે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો છે.

નદીઓમાં ઘોડાપૂર અને જનજીવન પ્રભાવિત

ગીર ગઢડા પંથકમાં ભારે પવન સાથે ત્રાટકેલા વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. હરમડીયા અને એભલવડ ગામ નજીકથી પસાર થતી સાંગાવાડી નદીમાં ઉનાળાની મધ્યમાં પૂર આવ્યું છે. ભારે વરસાદના કારણે નદી બંને કાંઠે વહેતી થઈ છે. વરસાદની સાથે ફૂંકાયેલા તેજ પવનને કારણે અનેક વિસ્તારોમાં નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે.

ખેતીવાડીને વ્યાપક નુકસાન

આ માવઠાની સૌથી ગંભીર અસર ખેતી પર પડી છે, જેમાં ખાસ કરીને બાગાયતી પાકોને મોટું નુકસાન થયું છે. ગીરની શાન ગણાતી કેસર કેરીના બગીચાઓમાં ભારે પવનને કારણે નાની કેરીઓ (ખાખટી) મોટી સંખ્યામાં ખરી પડી છે. ખેડૂતોના મતે આ વર્ષે કેરીના ઉત્પાદનમાં મોટો ઘટાડો થઈ શકે છે. અનેક વિસ્તારોમાં કેળના ઝાડ પવનના કારણે જમીનદોસ્ત થઈ ગયા છે. તૈયાર પાક નાશ પામતા ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે. પ્રાથમિક અહેવાલો મુજબ, હજારો એકર જમીનમાં પથરાયેલા પાકને માવઠાએ લપેટમાં લીધો છે.