સંજય દત્તના ‘ચૌધરી અસલમ’ના કેરેક્ટરને લઈને લોકો બોલ્યા – 'નવો સંજુ બાબા 2028માં આવી રહ્યો છે'
આદિત્ય ધરની ફિલ્મ ‘ધુરંધર-2’માં સંજય દત્તે પાકિસ્તાની એસપી ચૌધરી અસલમનો કિરદાર અદ્ભુત રીતે નિભાવ્યો છે. આ કિરદારને લઈને તેમની ખૂબ તારીફ થઈ રહી છે. તાજેતરમાં સંજય દત્ત પોતાની પત્ની માન્યતા અને બંને બાળકો – પુત્ર શાહરાન અને પુત્રી ઇકરા સાથે એક ઇવેન્ટમાં જોવા મળ્યા હતા.
આ દરમિયાન કેમેરા સામે આવેલા સંજય દત્તના પુત્ર શાહરાન પર લોકોની નજર અટકી ગઈ. સોશિયલ મીડિયા પર લોકો ખૂબ કોમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “નવો સંજુ બાબા 2028માં આવી રહ્યો છે!” બીજાએ કહ્યું, “છોક્કરો સંજુ બાબા જેવો જ લાગે છે.” કેટલાકે તેમને “છોંટો બાબા” તરીકે પણ સંબોધ્યા.
સંજય દત્ત અને માન્યતાના બાળકો
સંજય દત્ત અને માન્યતાએ 2008માં લગ્ન કર્યા હતા. લગ્નના બે વર્ષ પછી 21 ઓક્ટોબર, 2010ના રોજ તેમને જોડિયા બાળકો – શાહરાન અને ઇકરાનો જન્મ થયો હતો. હાલમાં બંને 15 વર્ષના થયા છે.
View this post on Instagram
ફિલ્મ ‘ધુરંધર-2’માં સંજય દત્તનું પર્ફોર્મન્સ
ફિલ્મમાં સંજય દત્તે ચૌધરી અસલમના કિરદારમાં જબરદસ્ત અભિનય કર્યો છે. કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબડાએ જણાવ્યું હતું કે શરૂઆતમાં સંજય દત્ત સહિત અર્જુન રામપાલ અને અક્ષય ખન્ના પણ ફિલ્મમાં કામ કરવા માટે પાક્કા નહોતા. માત્ર આર. માધવને જ તરત હા કહી હતી.
આગામી ફિલ્મ ‘આખરી સવાલ’
‘ધુરંધર-2’ની સફળતા પછી સંજય દત્તે આગામી ફિલ્મ ‘આખરી સવાલ’ની જાહેરાત કરી છે. આ ફિલ્મમાં તેઓ એક રાજનેતાની ભૂમિકા ભજવશે. નીમ ટ્રી એન્ટરટેઈનમેન્ટ અને નિખિલ નંદા મોશન પિક્ચર્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ 15 મે, 2026ના રોજ રિલીઝ થવાની છે. ફિલ્મમાં મિત સાધ, નમાશી ચક્રવર્તી, સમીરા રેડ્ડી, ત્રિધા ચૌધરી અને નીતુ ચંદ્રા સહિત અન્ય કલાકારો પણ હશે.
હાલમાં સંજય દત્ત પોતાની પત્ની અને બાળકો સાથે સમય વિતાવી રહ્યા છે અને તેમના પુત્ર શાહરાનને જોઈને ફેન્સ નવા ‘સંજુ બાબા’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.