March 31, 2026
ગુજરાત

ગુજરાત બોર્ડ પરીક્ષામાં પ્રશ્નોની ક્ષતિ: ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓને આ બે વિષયમાં મળશે ગ્રેસિંગ ગુણ

02:30:00 PM
Save
Mar 31, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">ગુજરાત બોર્ડ પરીક્ષામાં પ્રશ્નોની ક્ષતિ:</span> ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓને આ બે વિષયમાં મળશે ગ્રેસિંગ ગુણ</strong></p>

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા આયોજિત પરીક્ષાઓ વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે અત્યંત મહત્વની હોય છે. જોકે, છેલ્લા કેટલાક વર્ષોથી મુખ્ય બોર્ડ પરીક્ષા હોય કે ગુજકેટ, પ્રશ્નપત્રોમાં ભૂલો થવી એ જાણે એક પરંપરા બની ગઈ છે. નિષ્ણાતો દ્વારા તૈયાર કરવામાં આવતા પેપરોમાં પ્રશ્નો ખોટા હોવા અથવા વિકલ્પોમાં ક્ષતિ હોવાને કારણે અંતે બોર્ડને ગ્રેસિંગ ગુણ આપવાની ફરજ પડે છે.

પ્રોવિઝનલ આન્સર કી જાહેર અને ગુણની લ્હાણી

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સની મુખ્ય જાહેર પરીક્ષાના MCQ આધારિત પ્રશ્નોની Provisional Answer Key જાહેર કરવામાં આવી છે. આ આન્સર કીમાં ફિઝિક્સ અને કેમેસ્ટ્રી વિષયના કેટલાક પ્રશ્નોમાં ભૂલો સ્વીકારવામાં આવી છે, જેના બદલામાં વિદ્યાર્થીઓને સમાન ગુણ (Gracing) આપવાનો નિર્ણય લેવાયો છે.

વિષયવાર સુધારા અને ગ્રેસિંગની વિગત

બોર્ડ દ્વારા નિષ્ણાતોના અભિપ્રાય બાદ નીચે મુજબના ફેરફારો કરવામાં આવ્યા છે:

ફિઝિક્સ (Physics):

ગુજરાતી માધ્યમમાં 3 પ્રશ્નો ખોટા હોવાથી તમામ વિદ્યાર્થીઓને 3 માર્ક સમાન ગુણ તરીકે મળશે.

અંગ્રેજી અને હિન્દી માધ્યમમાં 2 પ્રશ્નો ખોટા હોવાથી 2 માર્કનું ગ્રેસિંગ આપવામાં આવશે.

કેમેસ્ટ્રી (Chemistry):

અંગ્રેજી માધ્યમમાં 2 પ્રશ્નોમાં ભૂલ હોવાથી તમામ વિદ્યાર્થીઓને 2 માર્ક મળશે.

ગુજરાતી અને હિન્દી માધ્યમમાં 1 પ્રશ્નમાં ક્ષતિ હોવાથી તમામ વિદ્યાર્થીઓને 1 માર્ક સમાનપણે આપવામાં આવશે.

વાંધા અરજી માટેની પ્રક્રિયા

જો કોઈ વિદ્યાર્થી કે વાલીને જાહેર કરવામાં આવેલી આ પ્રોવિઝનલ આન્સર કી સામે વાંધો હોય, તો તેઓ નીચે મુજબની કાર્યવાહી કરી શકે છે:

સમયમર્યાદા: વાંધા રજૂઆત 4 April સુધીમાં ઓનલાઇન કરવાની રહેશે.

ફી: પ્રશ્ન દીઠ 500 રૂપિયા ફી ભરવાની રહેશે.

રિફંડ: જો વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલી રજૂઆત સાચી ઠરશે, તો બોર્ડ દ્વારા આ ફી પરત કરવામાં આવશે.

આ નિર્ણયથી હજારો વિદ્યાર્થીઓને ફાયદો થશે, પરંતુ દર વર્ષે થતા આ પ્રકારના છબરડાઓને રોકવા માટે બોર્ડ આગામી સમયમાં કેવા પગલાં ભરે છે તે જોવું રહ્યું.