April 5, 2026
રાજનીતિ

ભાજપનો માસ્ટરપ્લાન: ઉમેદવારો નક્કી નથી, પણ પ્રચાર પૂરજોશમાં.....રાજકોટમાં જામશે ચૂંટણી માહોલ

10:41:00 AM
Save
Apr 5, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>ભાજપનો માસ્ટરપ્લાન:</strong></span> ઉમેદવારો નક્કી નથી, પણ પ્રચાર પૂરજોશમાં.....<span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>રાજકોટમાં જામશે ચૂંટણી માહોલ</strong></span></p>

ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે રાજકોટ શહેર ભાજપ અત્યારથી જ ફૂલ એક્શન મોડમાં આવી ગયું છે. અન્ય રાજકીય પક્ષો હજુ ઉમેદવારોની પસંદગી અને સંગઠનની બેઠકોમાં વ્યસ્ત છે, ત્યારે ભાજપે એક કદમ આગળ વધીને સીધો જનસંપર્ક શરૂ કરી દીધો છે. રાજકોટ મહાનગરપાલિકાના તમામ 18 વોર્ડમાં આજથી ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી પ્રચારના વિધિવત શ્રીગણેશ કરવામાં આવ્યા છે. આ પ્રચારની સૌથી ચોંકાવનારી અને મહત્વની બાબત એ છે કે, પક્ષ દ્વારા હજુ સુધી સત્તાવાર રીતે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી નથી.

સામાન્ય રીતે ઉમેદવાર નક્કી થયા બાદ પ્રચાર શરૂ થતો હોય છે, પરંતુ ભાજપે વ્યક્તિગત ચહેરાને બદલે પક્ષના ચિહ્ન 'કમળ' અને સરકારની કામગીરીને આગળ ધરીને મેદાન મારવાનું નક્કી કર્યું છે. આ વ્યૂહરચના પાછળનો હેતુ કાર્યકરોમાં વહેલી તકે જોમ ભરવાનો અને મતદારો સુધી વહેલા પહોંચવાનો છે.  રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવેની સીધી દેખરેખ હેઠળ આજે વોર્ડ નંબર 2 માંથી પ્રચાર અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. માધવ દવેની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકરોએ વિસ્તારના ઘરોની મુલાકાત લીધી હતી. પ્રમુખની હાજરીને કારણે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને 'ભારત માતા કી જય' ના નારા સાથે રાજકોટના માર્ગો પર કેસરીયો માહોલ છવાયો હતો.  

ભાજપના આજના અભિયાનમાં 'ડોર ટુ ડોર' એટલે કે ઘરે-ઘરે જઈને મતદારો સાથે સીધો સંવાદ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. કાર્યકરો દરેક ઘરમાં જઈને કેન્દ્ર અને રાજ્ય સરકારની લોકકલ્યાણકારી યોજનાઓની પત્રિકાઓ વહેંચી રહ્યા છે. મહાનગરપાલિકા દ્વારા શહેરમાં કરવામાં આવેલા વિકાસલક્ષી કામોનો હિસાબ પણ જનતા સમક્ષ રજૂ કરવામાં આવી રહ્યો છે, જેથી ચૂંટણી સમયે એન્ટી-ઈન્કમ્બન્સીનો સામનો કરી શકાય.રાજકોટ શહેર ભાજપ દ્વારા માત્ર એક વિસ્તાર નહીં, પરંતુ સમગ્ર મહાનગરપાલિકાના તમામ વોર્ડમાં એકસાથે આ રણનીતિ અમલમાં મૂકવામાં આવી છે. દરેક વોર્ડ માટે પ્રભારીઓ અને પેજ પ્રમુખોને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે.

હજુ તો ચૂંટણીની સત્તાવાર તારીખો અને ઉમેદવારોના ફોર્મ ભરવાની પ્રક્રિયા બાકી છે, તે પહેલા જ ભાજપે જનતાના દ્વાર ખખડાવીને પોતાની મજબૂત પકડ સાબિત કરી દીધી છે. આગામી દિવસોમાં આ પ્રચાર અભિયાન વધુ તેજ બને તેવી શક્યતા છે, જે રાજકોટના રાજકારણમાં નવો વળાંક લાવી શકે છે.