April 8, 2026
ગુજરાત

માનવતાને લજવતી ઘટના : રાજકોટના મેટોડામાં આખલાઓ પર એસિડ ફેંકનાર સામે પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલાઓની કરી ધરપકડ

12:29:00 PM
Save
Apr 8, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>માનવતાને લજવતી ઘટના : </strong></span>રાજકોટના મેટોડામાં આખલાઓ પર એસિડ ફેંકનાર સામે પોલીસની મોટી કાર્યવાહી, <strong>બે મહિલાઓની કરી ધરપકડ</strong></p>

રાજકોટના મેટોડા GIDC વિસ્તારમાં આવેલ ડાયમંડ પાર્ક પાસે એક અત્યંત હૃદયદ્રાવક અને અમાનવીય ઘટના સામે આવી છે, જેમાં 2 દિવસ પહેલાં અજાણ્યા અસામાજિક તત્વોએ દસથી વધુ નિર્દોષ આખલાઓ પર એસિડ ફેંકી તેમને ગંભીર રીતે ઇજા પહોંચાડી છે. જેનો ભેદ આજે રાજકોટ ગ્રામ્ય પોલીસે ઉકેલીને બે મહિલાઓની ધરપકડ કરી છે. 

આ ઘટનાની વિગત એવી છે કે ગત શનિવારની મોડી રાત્રે અથવા રવિવારની વહેલી સવારે, જ્યારે આ પશુઓ રસ્તા પર વિશ્રામ કરી રહ્યા હતા, ત્યારે આ મહિલાઓએ તેમના પર જ્વલનશીલ પ્રવાહી છાંટ્યું હતું. સવારે જ્યારે સ્થાનિક લોકોએ આ પશુઓને લોહીલુહાણ હાલતમાં અને ચામડી ઉખડેલી અવસ્થામાં જોયા હતાં. આ ઘટનાને પગલે સમગ્ર પંથકના પશુપ્રેમીઓ અને ગૌભક્તોમાં ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ છે.

ઘટનાની જાણ થતાં જ વિવિધ સેવાભાવી સંસ્થાઓ અને ફાઉન્ડેશનના સ્વયંસેવકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. એસિડની અસહ્ય વેદનાથી કણસતા અને આમતેમ ભાગતા 10થી વધુ આખલાઓને ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. આ તમામ ગંભીર રીતે દાઝેલા પશુઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યાં પશુ ચિકિત્સકોની ટીમ દ્વારા તેમની સઘન સારવાર શરૂ કરવામાં આવી છે. 

આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવા માટે મોટી સંખ્યામાં ગૌભક્તોએ મેટોડા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો અને ગુનેગારોને કડકમાં કડક સજા કરવાની માંગ કરી હતી. રાજકોટ ગ્રામ્ય પોલીસે આ ઘટનાની ગંભીરતા સમજીને તુરંત તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. CCTV ફૂટેજ અને સ્થાનિક બાતમીદારોની મદદથી પોલીસે તપાસ હાથ ધરતા આ કૃત્યમાં સંડોવાયેલી બે મહિલાઓની ધરપકડ કરી છે. ​ગાયને હેરાન કરતા હોવાની શંકાએ આખલાઓ પર આ મહિલાઓએ એસિડ ફેંકયું હતું. 

આ બંને મહિલાઓ સામે પ્રાણી ક્રૂરતા અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ હાલ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ઘટના પાછળ અન્ય કોઈ વ્યક્તિઓની સંડોવણી છે કે કેમ. આ કડક કાર્યવાહી દ્વારા સમાજમાં એવો સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે અબોલ જીવો પર કરવામાં આવતી કોઈપણ પ્રકારની હિંસા સાંખી લેવામાં આવશે નહીં.