April 2, 2026
બોલિવૂડ

રામાયણનું ટીઝર પહેલાં વિદેશમાં બતાવવાથી નારાજ થયા રણબીર કપૂરના ફેન્સ, ભારતમાં શું તકલીફ છે?

10:02:00 AM
Save
Apr 2, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">રામાયણનું ટીઝર પહેલાં વિદેશમાં બતાવવાથી નારાજ થયા રણબીર કપૂરના ફેન્સ</span>, ભારતમાં શું તકલીફ છે?</p>

રણબીર કપૂર (Ranbir Kapoor)ની ફિલ્મ 'રામાયણ' (Ramayana) ધુરંધર 2 પછી આ વર્ષની સૌથી વધુ અપેક્ષિત ફિલ્મોમાંની એક છે તેમ છતાં નિતેશ તિવારીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મનું ટીઝર ફિલ્મના નિર્માતાઓએ લોસ એન્જલસમાં જાહેર કર્યું. આ દરમિયાન રણબીર પણ એલ.એ.માં હાજર હતા. હવે ભારતીય ફિલ્મ હોવા છતાં વિદેશને પ્રાથમિકતા આપવાને કારણે રણબીર કપૂરના ફેન્સ નારાજ થયા છે.

લોકોની લાગણીઓને પહોંચી ઠેસ
તાજેતરમાં, અનેક ઇન્ટરનેટ યુઝર્સે પોતાના ટ્વિટર (X) હેન્ડલ પર રામાયણના નિર્માતાઓને ભારત પહેલાં લોસ એન્જલસમાં ટીઝર રિલીઝ કરવાનું કારણ પૂછ્યું છે. કેટલાકનો દાવો છે કે નિતેશ તિવારીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મના નિર્માતા માત્ર NRIને ફિલ્મ વેચીને પૈસા કમાવા માંગે છે, જ્યારે અન્યોનું તર્ક છે કે આ નિર્ણય અપમાનજનક છે અને તેનાથી તેમની લાગણીઓને ઠેસ પહોંચી છે.

યુઝર્સે સોશિયલ મીડિયા પર ગુસ્સો વ્યક્ત કર્યો
એક યુઝરે લખ્યું: “ભારતમાં રિલીઝ કરવામાં શું તકલીફ છે? આ એક ભારતીય ફિલ્મ છે, તો તેને પહેલાં ભારતમાં કેમ ન બતાવવામાં આવી?” બીજા યુઝરે લખ્યું - “માત્ર ભારતમાં હાઇપ ક્રિએટ કરવા માટે આ ડ્રામા ચાલી રહ્યો છે... રામાયણ અમારી વાર્તા છે... પહેલાં કોઈ બીજા દેશમાં કેમ? નિર્માતાને માત્ર પૈસા જોઈએ છે... અમારા લોકોની લાગણીઓ ક્યાં છે?” અન્ય યુઝરે લખ્યું, “તો તેને સૌથી પહેલાં જોનારા લોકો લોસ એન્જલસમાં છે, ભારતમાં નહીં? વાહ! ઓછામાં ઓછું વારાણસીનો કાર્યક્રમ તો ભારતમાં થયો!”

ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકા નિભાવી રહ્યા છે, જ્યારે સાઈ પલ્લવી દેવી સીતાના કિરદારમાં જોવા મળશે. તેના ઉપરાંત KGF સ્ટાર યશ રાવણના રૂપમાં દેખાશે જ્યારે સની દેઓલ હનુમાન અને રવિ દુબે લક્ષ્મણની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ દિવાળીના અવસરે ઓક્ટોબરમાં રિલીઝ થશે.