March 31, 2026
સ્પોર્ટ્સ

રવીન્દ્ર જાડેજાની નવી સફર: રાજસ્થાનની ગુલાબી જર્સીમાં 'સર' જાડેજા થયા ભાવુક, ધોનીના ફોન અંગે કહ્યું....

07:05:00 PM
Save
Mar 31, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">રવીન્દ્ર જાડેજાની નવી સફર: </span>રાજસ્થાનની ગુલાબી જર્સીમાં 'સર' જાડેજા થયા ભાવુક, ધોનીના ફોન અંગે કહ્યું....</strong></p>

આઈપીએલ માત્ર ચોગ્ગા-છગ્ગાની રમત નથી, પણ ખેલાડીઓ માટે લાગણીઓનું એક ભાથું પણ છે. દાયકાઓ સુધી એક જ ફ્રેન્ચાઈઝી માટે પરસેવો પાડ્યા બાદ જ્યારે કોઈ ખેલાડી નવી ટીમમાં જાય છે, ત્યારે મેદાન પરના જૂના સાથીઓ સામે રમવું એ એક મોટો માનસિક પડકાર હોય છે. રવીન્દ્ર જાડેજા માટે પણ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સાથેનો 12-13 વર્ષનો અતૂટ નાતો તોડવો સહેલો નહોતો. પીળા રંગની જગ્યાએ ગુલાબી જર્સી ધારણ કરવી એ પ્રોફેશનલ ક્રિકેટનો ભાગ હોવા છતાં, હૃદયના કોઈ ખૂણે જૂની યાદો હંમેશા તાજી રહે છે.

ગુવાહાટીના મેદાન પર જાડેજા અને ધોનીના બોન્ડિંગની ચર્ચા

IPL 2026 માં રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેનો મુકાબલો રવીન્દ્ર જાડેજા માટે અત્યંત ખાસ રહ્યો હતો. મેચ બાદ જાડેજાએ પોતાના જૂના સાથીઓ અને ખાસ કરીને MS ધોની સાથેના સંબંધો પર ખુલીને વાત કરી હતી.

'માહી ભાઈ ફોન બંધ રાખે છે': જાડેજાની ટકોર

જ્યારે ચાહકોને આશા હતી કે મેચ પહેલા જાડેજા અને ધોની વચ્ચે કોઈ વાતચીત થઈ હશે, ત્યારે જાડેજાએ હસતા હસતા એક રસપ્રદ ખુલાસો કર્યો. જાડેજાએ જણાવ્યું કે, "માહી ભાઈ સાથે વાત નથી થઈ, કારણ કે તેઓ અવારનવાર પોતાનો ફોન બંધ રાખે છે." ધોની ટુર્નામેન્ટ દરમિયાન ડિજિટલ દુનિયાથી દૂર રહેવા માટે જાણીતા છે, આથી જ જાડેજાએ મેચ પહેલા તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ન હતો. જોકે, તેમણે ઉમેર્યું કે જ્યારે પણ તેઓ રૂબરૂ મળશે ત્યારે ઘણી બધી વાતો કરશે.

પીળો vs ગુલાબી: 'જૂના રંગ' પર રમુજ

પોતાની નવી ટીમ રાજસ્થાન રોયલ્સ વિશે વાત કરતા જાડેજાએ મજાકિયા અંદાજમાં કહ્યું, "મને હવે ગુલાબી રંગ સારો લાગી રહ્યો છે, પીળો રંગ હવે થોડો જૂનો લાગવા માંડ્યો હતો!" પરંતુ તરત જ તેમણે ગંભીરતાથી ઉમેર્યું કે CSK જેવી ફ્રેન્ચાઈઝી જ્યાં તેમણે 2012 થી 2024 સુધીનો લાંબો સમય વિતાવ્યો, તેને છોડવી ભાવુક ક્ષણ હતી.

જ્યાંથી શરૂઆત થઈ, ત્યાં જ પુનરાગમન

જાડેજા માટે રાજસ્થાન રોયલ્સમાં પરત ફરવું એ 'ઘર વાપસી' જેવું છે. જાડેજા 2008 માં રાજસ્થાન રોયલ્સની પ્રથમ ચેમ્પિયન ટીમનો હિસ્સો હતા. અંડર-19 વર્લ્ડ કપ બાદ તેમની IPL કારકિર્દીની શરૂઆત અહીંથી જ થઈ હતી. તેમણે જણાવ્યું કે તેઓ હવે આ નવા ગ્રુપ સાથે પોતાનો અનુભવ શેર કરવા અને વધુમાં વધુ શીખવા માંગે છે.

રવીન્દ્ર જાડેજાએ ચેન્નાઈ માટે 2018, 2021 અને 2023 માં ટ્રોફી જીતવામાં ઓલરાઉન્ડર તરીકે પાયાની ભૂમિકા ભજવી હતી. હવે રાજસ્થાન માટે પણ તેઓ એ જ જાદુ બિખેરવા તૈયાર છે.