April 1, 2026
ભારત

સુપ્રીમ કોર્ટની ઐતિહાસિક ટિપ્પણી: "પત્ની એ ઘરની નોકરાણી નથી, પતિએ પણ ઘરકામમાં આપવું પડશે યોગદાન"

03:42:00 PM
Save
Mar 21, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">સુપ્રીમ કોર્ટની ઐતિહાસિક ટિપ્પણી:</span> "પત્ની એ ઘરની નોકરાણી નથી, પતિએ પણ ઘરકામમાં આપવું પડશે યોગદાન"</strong></p>

આજના આધુનિક યુગમાં સ્ત્રી અને પુરુષ બંને ખભેખભા મિલાવીને ચાલી રહ્યા છે. સમાનતા માત્ર કાગળ પર નહીં પરંતુ ઘરની ચાર દીવાલોની અંદર પણ હોવી અનિવાર્ય છે. વર્ષોથી પ્રચલિત માનસિકતા કે 'ઘરકામ માત્ર સ્ત્રીની જવાબદારી છે' તેને હવે બદલવાનો સમય આવી ગયો છે. સાચું સહજીવન ત્યારે જ શક્ય બને જ્યારે ઘરની જવાબદારીઓ અને શ્રમની વહેંચણી બંને પક્ષે સમાન રીતે થાય. સુપ્રીમ કોર્ટનો આ અભિગમ સામાજિક સમાનતા તરફનું એક મોટું કદમ છે.

કેસની પૃષ્ઠભૂમિ

આ વિવાદ વર્ષ 2017 માં લગ્નગ્રંથિથી જોડાયેલા એક દંપતીનો છે, જેમને 8 વર્ષનો પુત્ર પણ છે. પતિએ પત્ની વિરુદ્ધ છૂટાછેડાની અરજી કરી હતી, જેમાં તેણે આક્ષેપ કર્યો હતો કે તેની પત્ની લગ્ન બાદ રસોઈ બનાવતી નથી, અભદ્ર ભાષા વાપરે છે અને સંતાનના જન્મ બાદ પિયર જતી રહી છે. ફેમિલી કોર્ટે આ દલીલોના આધારે છૂટાછેડા મંજૂર કર્યા હતા, પરંતુ હાઈકોર્ટે આ આદેશ રદ કર્યો હતો, જેને પડકારવા પતિ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો.

સુપ્રીમ કોર્ટની કડક સલાહ

ન્યાયાધીશ સંદીપ મેહતા અને ન્યાયાધીશ વિક્રમનાથની બેન્ચે આ મામલે સુનાવણી કરતા પતિની દલીલોને ફગાવી દીધી હતી. ન્યાયાધીશ મેહતાએ ટકોર કરી હતી કે, "તમે કોઈ નોકરાણી સાથે લગ્ન નથી કર્યા, પરંતુ એક જીવનસાથી પસંદ કર્યો છે." જસ્ટિસ વિક્રમનાથે ઉમેર્યું હતું કે રસોઈ બનાવવી, કપડાં ધોવા અને ઘરની સાફ-સફાઈ જેવા કામોમાં પત્નીનો સાથ આપવો એ પતિની પણ સમાન ફરજ છે. કોર્ટે સ્પષ્ટતા કરી કે જો પત્ની ઘરના કામોમાં અસમર્થતા દર્શાવે અથવા સાથ ન આપે, તો તેને 'ક્રૂરતા' (Cruelty) માનીને છૂટાછેડાનો આધાર બનાવી શકાય નહીં.

વર્તમાન સ્થિતિ

કોર્ટે નોંધ્યું કે હવે જમાનો બદલાઈ ગયો છે અને પુરુષોએ પોતાની જૂની માનસિકતા ત્યજી દેવી પડશે. સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતાના પ્રયાસો નિષ્ફળ ગયા બાદ હાલ પૂરતી આ મામલાની સુનાવણી મુલતવી રાખી છે. આ ટિપ્પણી આવનારા સમયમાં વૈવાહિક વિવાદોના કાયદાકીય અર્થઘટન માટે માર્ગદર્શક સાબિત થશે.