April 7, 2026
ગુજરાત

સુરતના અલથાણમાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ: મદદગારી કરનાર જીજા સહિત સાળા સામે ગુનો દાખલ

06:55:00 PM
Save
Apr 6, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">સુરતના અલથાણમાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ:</span> મદદગારી કરનાર જીજા સહિત સાળા સામે ગુનો દાખલ</strong></p>

દક્ષિણ ગુજરાતના આર્થિક પાટનગર સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી વધુ એક શરમનાક ઘટના સામે આવી છે. શહેરના અલથાણ વિસ્તારમાં રહેતી એક સગીરાનું અપહરણ કરી તેને સચિન વિસ્તારમાં ગોંધી રાખી બે થી ત્રણ વાર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ કેસમાં અલથાણ પોલીસે મુખ્ય આરોપી એવા યુવક અને તેને ભાડે રૂમ અપાવી ગુનામાં મદદગારી કરનાર તેના જીજા વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રેમજાળમાં ફસાવી સગીરાનું અપહરણ

બનાવની વિગત મુજબ, શહેરના સચિન જીઆઈડીસી વિસ્તારમાં શિવનગર પાસે અન્નપૂર્ણા રેસ્ટોરન્ટમાં રહેતા મુસ્કાન મહેમુદ ખાન પઠાણ નામના યુવકે અલથાણ વિસ્તારની એક સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ તક મળતા આરોપી મુસ્કાન પઠાણ સગીરાના ઘરે પહોંચ્યો હતો. ત્યાં તેણે પરિવારજનો સાથે ઉદ્ધત વર્તન કરી ગાળાગાળી કરી હતી અને સગીરાનું તેના ઘર પાસેથી જ અપહરણ કરી તેને સચિન વિસ્તારમાં લઈ ગયો હતો.

જીજાએ ભાડે અપાવેલા રૂમમાં ગુજાર્યો અત્યાચાર

અપહરણ બાદ મુખ્ય આરોપી મુસ્કાનને તેના જીજા હલીમ ખાને ગુનામાં સાથ આપ્યો હતો. હલીમ ખાને સચિન વિસ્તારમાં સગીરાને રાખવા માટે એક રૂમ ભાડે અપાવી મદદગારી કરી હતી. આ ભાડે રાખેલા મકાનમાં મુસ્કાન પઠાણે સગીરાને બળજબરીથી ગોંધી રાખી હતી અને તેની મરજી વિરૂદ્ધ બે થી ત્રણ વાર શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. સતત શારીરિક શોષણને કારણે ભોગ બનનાર સગીરા માનસિક રીતે ભાંગી પડી હતી.

પરિવાર સમક્ષ હકીકત આવતા પોલીસ ફરિયાદ

આખરે કોઈક રીતે ભોગ બનનાર સગીરા પોતાના પરિવાર સુધી પહોંચવામાં સફળ રહી હતી. ઘરે પહોંચ્યા બાદ તેણે પોતાની સાથે થયેલા આ ઘૃણાસ્પદ અત્યાચારની આપવીતી પરિવારજનોને જણાવી હતી. સગીરાની વાત સાંભળી સ્તબ્ધ થયેલા પરિવારે તાત્કાલિક અલથાણ પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે પીડિતાની ફરિયાદના આધારે મુખ્ય આરોપી મુસ્કાન પઠાણ અને તેના જીજા હલીમ ખાન વિરૂદ્ધ અપહરણ અને બળાત્કારની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.

પોલીસની તપાસ અને આગળની કાર્યવાહી

અલથાણ પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. ભોગ બનનાર સગીરાનું મેડિકલ પરીક્ષણ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, સગીરાના અપહરણ અને ત્યારબાદ થયેલા દુષ્કર્મના આ કેસમાં તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. સાળા-જીજાની આ જોડીએ અગાઉ કોઈ અન્ય ગુનાહિત પ્રવૃત્તિ આચરી છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવશે.