April 7, 2026
ગુજરાત

જ્યારે લાગે આગ, ત્યારે શું કરશો? સુરત રઘુવીર પ્લેટિનિયમમાં પોલીસ અને ફાયર વિભાગ દ્વારા 'મોક ડ્રિલ' યોજાઈ

09:44:00 AM
Save
Apr 7, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>જ્યારે લાગે આગ, ત્યારે શું કરશો? </strong></span>સુરત રઘુવીર પ્લેટિનિયમમાં પોલીસ અને ફાયર વિભાગ દ્વારા 'મોક ડ્રિલ' યોજાઈ</p>

સુરત શહેરના ટેક્સટાઈલ હબ ગણાતા સારોલી વિસ્તારમાં આવેલી પ્રસિદ્ધ રઘુવીર પ્લેટિનિયમ ટેક્સટાઈલ માર્કેટમાં આજે વહેલી સવારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ થોડી જ વારમાં જાણવા મળ્યું હતું કે આ કોઈ વાસ્તવિક દુર્ઘટના નહીં પણ સુરક્ષા સજ્જતા તપાસવા માટેનું એક આયોજન હતું. સારોલી પોલીસ સ્ટેશન અને સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગના સંયુક્ત ઉપક્રમે અહીં એક વિશેષ ‘મોક ડ્રિલ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રિલનો મુખ્ય ઉદ્દેશ્ય ભવિષ્યમાં જો કોઈ અકસ્માત કે આગ જેવી કટોકટી સર્જાય, તો તેવા સમયે પોલીસ, ફાયર અને માર્કેટના મેનેજમેન્ટ વચ્ચે કેવું સંકલન હોવું જોઈએ અને કેવી રીતે ઓછામાં ઓછા સમયમાં જાન-માલનું નુકસાન અટકાવી શકાય, તેનું જીવંત નિદર્શન કરવાનો હતો.

મોક ડ્રિલની શરૂઆતમાં માર્કેટના એક વિભાગમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનો કૃત્રિમ મેસેજ વહેતો કરવામાં આવ્યો હતો. જેવી આ જાણકારી મળી કે તરત જ સારોલી પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી ટ્રાફિક તથા લોકોના ટોળાનું નિયંત્રણ હાથ ધર્યું હતું. ત્યારબાદ થોડી જ મિનિટોમાં ફાયર વિભાગની ગાડીઓ સાયરન વગાડતી ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઈટરોએ અત્યાધુનિક સાધનોનો ઉપયોગ કરીને માર્કેટના ઉપરના માળે ફસાયેલા સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી કરી હતી.

આ મોક ડ્રિલ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત અધિકારીઓએ માર્કેટના વેપારીઓ અને સુરક્ષા કર્મીઓને આગ બુઝાવવાના સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો અને ઈમરજન્સી એક્ઝિટનો ઉપયોગ કરીને કેવી રીતે ઝડપથી બહાર નીકળવું તેનું માર્ગદર્શન આપ્યું હતું. આવી મોક ડ્રિલ વેપારીઓમાં જાગૃતિ લાવવા માટે અત્યંત આવશ્યક છે. ફાયર વિભાગે પણ માર્કેટના ફાયર સેફ્ટી સિસ્ટમની ચકાસણી કરી હતી અને જરૂરી સૂચનો આપ્યા હતા. આ સમગ્ર આયોજનથી માર્કેટના વેપારીઓમાં સુરક્ષાનો અહેસાસ જોવા મળ્યો હતો અને તંત્રની ત્વરિત કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી. 

આ પ્રકારની કવાયત ભવિષ્યમાં મોટી હોનારતોને ટાળવા માટે સીમાચિહ્નરૂપ સાબિત થશે.