April 2, 2026
ધર્મ દર્શન

આજે છે મહાવીર જયંતી, જાણો ભગવાન મહાવીરની 5 મહત્વની શિક્ષાઓ

12:14:00 PM
Save
Mar 31, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">આજે છે મહાવીર જયંતી, </span>જાણો ભગવાન મહાવીરની 5 મહત્વની શિક્ષાઓ</p>

આજે 31 માર્ચ, 2026 મંગળવારે જૈન ધર્મના અત્યંત પવિત્ર તહેવાર મહાવીર જયંતી ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહી છે. આ દિવસ ભગવાન મહાવીરના જન્મદિવસ તરીકે ઉજવાય છે. પંચાંગ અનુસાર ચૈત્ર માસની શુક્લ પક્ષની ત્રયોદશી તિથિ આજે સવારે 6:55 સુધી છે.

કોણ હતા ભગવાન મહાવીર?
ભગવાન મહાવીર જૈન ધર્મના 24મા અને અંતિમ તીર્થંકર હતા. તેમનો જન્મ 599 ઈ.સ. પૂર્વે બિહારના વૈશાલી જિલ્લાના કુંડલગ્રામમાં એક રાજપરિવારમાં થયો હતો. તેમનું બાળપણનું નામ વર્ધમાન હતું. 30 વર્ષની વયે તેમણે રાજસુખ છોડીને સાધના અને તપસ્યાનો માર્ગ અપનાવ્યો. લાંબા તપ પછી તેમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. 72 વર્ષની વયે તેમણે નિર્વાણ પ્રાપ્ત કર્યું.

ભગવાન મહાવીરની 5 મહત્વની શિક્ષાઓ:

અહિંસા – કોઈ પણ પ્રાણીને કષ્ટ ન પહોંચાડવું. માત્ર શારીરિક જ નહીં, વાણી અને વિચારથી પણ અહિંસા પાળવી.  
સત્ય – સદા સત્ય બોલવું અને સત્યનું જીવન જીવવું.  
અસ્તેય – કોઈની વસ્તુ વિના પરવાનગી ન લેવી (ચોરી ન કરવી).  
બ્રહ્મચર્ય – ઇન્દ્રિયો પર સંયમ રાખવો અને શુદ્ધ જીવન જીવવું.  
અપરિગ્રહ – વસ્તુઓના સંગ્રહ અને મોહમાંથી મુક્તિ. સાદું અને સરળ જીવન જીવવું.

ભગવાન મહાવીરનું મુખ્ય સંદેશ છે – “સર્વે ભવન્તુ સુખિનઃ” (સૌ કોઈ સુખી થાઓ). તેમની શિક્ષાઓ આજે પણ માનવતા, શાંતિ અને સાદગીનો પાઠ શીખવે છે.

મહાવીર જયંતી કેવી રીતે ઉજવાય છે?
આ દિવસે જૈન મંદિરોમાં વિશેષ પૂજા, મહાવીર સ્વામીની મૂર્તિનો અભિષેક, શોભાયાત્રા અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. દાન-પુણ્ય, સેવા અને ભંડારાને પણ વિશેષ મહત્વ આપવામાં આવે છે.