April 1, 2026
આંતરરાષ્ટ્રીય ખબરો

ટ્રમ્પનું 48 કલાકનું અલ્ટિમેટમ: હોર્મુઝ નહિ ખુલે તો પરમાણુ કેન્દ્રો નિશાના પર

02:49:00 PM
Save
Mar 22, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">ટ્રમ્પનું 48 કલાકનું અલ્ટિમેટમ:</span> હોર્મુઝ નહિ ખુલે તો પરમાણુ કેન્દ્રો નિશાના પર</strong></p>

કોઈપણ યુદ્ધ માત્ર સરહદો નથી બદલતું, પણ પેઢીઓનો વિનાશ નોંતરે છે. ઈરાન-ઈઝરાયેલ સંઘર્ષ હવે ચોથા સપ્તાહમાં પ્રવેશ્યો છે અને તેની ભયાવહતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અત્યાર સુધીમાં 2,000 થી વધુ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. મિસાઈલ હુમલાઓ અને આક્રમક નિવેદનોએ માનવતા સામે ખતરો ઉભો કર્યો છે, જ્યાં શાંતિની વાતો હવે તોપોના ગુંજારવમાં દબાઈ ગઈ છે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા દ્વારા ઈરાનને અત્યાર સુધીની સૌથી કડક ચેતવણી આપી છે. હોર્મુઝની ખાડીમાં સર્જાયેલી નાકાબંધીને લઈને ટ્રમ્પ આરપારના મૂડમાં છે.

48 કલાકની સમયમર્યાદા

ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, જો આગામી 48 કલાકમાં હોર્મુઝની ખાડીમાં વ્યાપારિક જહાજોની અવરજવર સામાન્ય નહીં થાય, તો અમેરિકા સીધી કાર્યવાહી કરશે. અમેરિકન સેના ઈરાનના Nuclear Facilities (પરમાણુ કેન્દ્રો) ને નિશાન બનાવીને તેને નષ્ટ કરી દેશે.

ઈરાનની મિસાઈલ શક્તિ અને ઈઝરાયેલનો દાવો

ઈઝરાયેલના સૈન્ય અધિકારી એયાલ ઝમીરે ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે ઈરાનની મિસાઈલો હવે માત્ર મધ્ય-પૂર્વ પૂરતી મર્યાદિત નથી: ઈરાને 4,000 km ની રેન્જ ધરાવતી બેલેસ્ટિક મિસાઈલોનો ઉપયોગ શરૂ કર્યો છે. હિંદ મહાસાગરમાં આવેલા અમેરિકા-બ્રિટનના સૈન્ય બેઝ 'Diego Garcia' પર પણ હુમલાનો પ્રયાસ થયો છે. ઈઝરાયેલના મતે આ મિસાઈલો બર્લિન, પેરિસ અને રોમ જેવી યુરોપિયન રાજધાનીઓ સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે છે.

જાનહાનિના આંકડા

યુદ્ધના મેદાનમાં જાનહાનિનું પ્રમાણ અત્યંત અસંતુલિત જોવા મળી રહ્યું છે. અમેરિકા અને ઈઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં ઈરાનના 2,000 થી વધુ લોકોના મોત થયા છે. જયારે ઈરાની હુમલામાં ઈઝરાઈલે 15 લોકોના મોતના સમાચાર સત્તાવાર રીતે પુષ્ટિ પામ્યા છે.

ભવિષ્યની રણનીતિ

ટ્રમ્પના અલ્ટિમેટમ બાદ હવે આખી દુનિયાની નજર ઈરાનના આગામી પગલા પર છે. જો ઈરાન નમતું નહીં જોખે, તો આગામી 48 કલાક વૈશ્વિક ઇતિહાસ માટે અત્યંત ઘાતક સાબિત થઈ શકે છે. હોર્મુઝની ખાડી ખોલવી એ હવે માત્ર તેલ પુરવઠાનો વિષય નથી રહ્યો, પણ વૈશ્વિક યુદ્ધ રોકવા માટેની છેલ્લી તક બની ગઈ છે.