April 4, 2026
ભારત

નોટો છાપવાની પરવાનગી કોણ આપે છે? RBI ના ગવર્નર કે ભારત સરકાર? જાણો આ રસપ્રદ કાયદો

12:10:00 PM
Save
Apr 4, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>નોટો છાપવાની પરવાનગી કોણ આપે છે?</strong></span> RBI ના ગવર્નર કે ભારત સરકાર? જાણો આ રસપ્રદ કાયદો</p>

ભારતમાં નવી ચલણી નોટો જારી કરવાની પ્રક્રિયા મુખ્યત્વે 'આરબીઆઈ અધિનિયમ 1934 દ્વારા નિયંત્રિત થાય છે. આ કાયદા હેઠળ ભારતીય રિઝર્વ બેંકને દેશમાં કાગળની ચલણી નોટો છાપવા અને તેના પરિભ્રમણ માટેની એકમાત્ર અધિકૃત સત્તા આપવામાં આવી છે. જોકે, આ સત્તા સંપૂર્ણપણે સ્વતંત્ર નથી; ચલણી નોટોના મૂલ્ય અને ડિઝાઈન જેવા મહત્વના પાસાઓ પર કેન્દ્ર સરકારનો અંતિમ નિર્ણય લેવાનો અધિકાર અબાધિત છે. નવી નોટો છાપવાની પ્રક્રિયા દેશની આર્થિક જરૂરિયાતોના મૂલ્યાંકનથી શરૂ થાય છે. RBI સરકાર અને વિવિધ નાણાકીય સંસ્થાઓ સાથે પરામર્શ કરીને એ નક્કી કરે છે કે બજારમાં કેટલી રોકડની જરૂર છે.

ફાટેલી નોટોને બદલવા અને અર્થતંત્રના વિકાસ દરને ધ્યાનમાં રાખીને કેટલી સંખ્યામાં અને કયા મૂલ્યની નોટો છાપવી જોઈએ તેનો ચોક્કસ અંદાજ કાઢવામાં આવે છે. જ્યારે જરૂરિયાત નક્કી થઈ જાય, ત્યારે RBI નો કરન્સી મેનેજમેન્ટ વિભાગ નોટની ડિઝાઇન તૈયાર કરે છે. આ ડિઝાઇનમાં નકલી નોટો રોકવા માટે વોટરમાર્ક, સિક્યુરિટી થ્રેડ અને માઇક્રોપ્રિન્ટિંગ જેવી અદ્યતન સુરક્ષા સુવિધાઓ ઉમેરવામાં આવે છે. એકવાર ડિઝાઇન તૈયાર થઈ જાય પછી તેને કેન્દ્ર સરકાર પાસે મંજૂરી માટે મોકલવામાં આવે છે. સરકારની લેખિત મંજૂરી વિના એક પણ નવી નોટ છાપી શકાતી નથી. સરકારી મંજૂરી મળ્યા બાદ નોટોનું છાપકામ દેશના ચાર મુખ્ય કેન્દ્રો પર શરૂ થાય છે.

મહારાષ્ટ્રના નાસિક અને મધ્યપ્રદેશના દેવાસમાં સરકાર સંચાલિત પ્રેસ આવેલા છે. જ્યારે કર્ણાટકના મૈસૂર અને પશ્ચિમ બંગાળના સાલબોનીમાં RBI ની પેટાકંપની 'ભારતીય રિઝર્વ બેંક નોટ મુદ્રણ પ્રાઇવેટ લિમિટેડ' દ્વારા સંચાલિત હાઈ-સિક્યુરિટી પ્રેસમાં નોટો તૈયાર કરવામાં આવે છે. છાપકામ પૂર્ણ થયા પછી નવી નોટોને સુરક્ષિત રીતે RBI ની વિવિધ ઇશ્યૂ ઓફિસોમાં મોકલવામાં આવે છે. ત્યાંથી આ નોટો બેંકો દ્વારા સંચાલિત 'કરન્સી ચેસ્ટ' ના નેટવર્ક સુધી પહોંચાડવામાં આવે છે. અંતે, બેંક શાખાઓ અને ATM ના માધ્યમથી આ નવી ચલણી નોટો સામાન્ય જનતાના હાથમાં અને બજારના પરિભ્રમણમાં પ્રવેશ કરે છે.

ભારતીય ચલણમાં એક રસપ્રદ અપવાદ એ છે કે ₹1ની નોટ RBI દ્વારા નહીં પરંતુ ભારત સરકારના નાણાં મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવે છે, જેના પર નાણાં સચિવની સહી હોય છે. તેવી જ રીતે, તમામ મૂલ્યના સિક્કાઓ બનાવવાની સત્તા પણ માત્ર કેન્દ્ર સરકાર પાસે છે. જોકે, આ સિક્કાઓ અને ₹1ની નોટનું દેશભરમાં વિતરણ કરવાની જવાબદારી RBI જ નિભાવે છે.